ધર્મ – શબ્દ વિશે સુંદર સુવિચારો
DHARM – SABDA SUVICHAR IN GUJARATI
BEST SUVICHAR IN GUJARATI – સુંદર મજાના સુવિચારોનો સંગ્રહ અંહી આપવામાં આવેલો છે. જે તમને ખુબજ ઉપયોગી સાબિત થશે.
- યજ્ઞ, દાન અને તપ એ ધર્મના ત્રણ સ્તંભો છે.
– રામચંદ્ર ડોંગરેજી
- સાચો ધર્મ હૃદયની કવિતા છે તેમાજ તમામ સદગુણ વિકસી શકે છે.
-જાર્બટે
- ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.
ડો.રાધાકૃષ્ણન
- જે ન્યાયને અનુકૂળ છે તે કદી ધર્મની વિરુદ્ધ ન હોઈ શકે.
-ગ્લૅડસ્ટન
- ધર્મ જીવનથી અલગ નથી, જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી, પરંતુ પશુ જીવન છે.
– ગાંધીજી
- ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે, તેથી ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહીં, અંતઃકરણ છે.
– સ્વામી વિવેકાનંદ
- જેનું મન ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે.
– મહાવીર સ્વામી
- જેનામાં મનુષ્યતા નથી તેનામાં જરા પણ ધાર્મિકતા નથી.
– અરબી કહેવત
- ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે. સ્ત્રીપુત્રાદી બીજા બધા જ તો શરીરના નાશની સાથે જતા રહે છે.
– વિષ્ણુ પુરાણ
- ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.
– સ્વામી વિવેકાનંદ
- જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મૂકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને એ જેનું શિખર જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ છે તે ધર્મ જગતના સર્વ બંધનો માંથી મુક્તિ અપાવી શકે છે.
– ગૌતમ બુદ્ધ
- આપણે જાતે મરીને પણ ધર્મનું રક્ષણ કરવાનું છે.
લેક્ટેન્શિયસ
- જુદા જુદા ધર્મનું અધ્યયન કર્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે બધા ધર્મોનું એકીકરણ જરૂરી છે તેની એક મહા ચાવી હોવી જોઈએ જે મહા ચાવી છે. સત્ય અને અહિંસા.
– ગાંધીજી
- બે ધર્મ વચ્ચે ક્યારેય ઝઘડો નથી હોતો બધા ધર્મોનો અધર્મ સાથે ઝઘડો હોય છે.
– વિનોબા ભાવે
- પ્રેમ ભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે.
-સેબેટીઅર
- જે ધર્મ વિધવાના આંસુ લુછી ના શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મમાં મને શ્રધ્ધા નથી.
– સ્વામી વિવેકાનંદ