શિક્ષક વિશેનાં શ્રેષ્ઠ સુવિચારો - TEACHER - BEST SUVICHAR
શિક્ષક વિશે શાળામાં ઉપયોગી થાય તેવાં તેમજ કોઇ પણ પ્રકારનાં જાહેર કાર્યક્રમોમાં શિક્ષક વિશે સારા બે વાકેયો બોલવા માટે આ સુવિચારો ખુબજ ઉપયોગી થશે…..
૧. “ગુ” શબ્દનો અર્થ છે ‘અંધકાર’ અને “રુ” શબ્દનો અર્થ છે ‘તેનો નાશ કરનાર’ આમ અજ્ઞાનરુપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.
– સ્કંદપુરાણ
૨. શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.
૩ . મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે.
– એલેક્ઝાન્ડર
૪. શિક્ષક તરીકે સફળ થવા માટે ભણાવવાની ઉત્કટતા હોવી જોઈએ.
– કાકા કાલેલકર
૫. ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઈ શકે છે.
સ્વામી વિવેકાનંદ
૬. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહ સંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.
– જે કૃષ્ણમૂર્તિ
૭. જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.
– સ્વામી રામતીર્થ
૮. શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.
– સ્વામી સચ્ચિદાનંદ
૯. સંત પુરુષો યુગના શિક્ષક છે.
૧૦. રોટલો કેમ રળવો તે નહીં પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો? તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે.
– જેમ્સ એન્જલ
૧૧. સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.